પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે આપનાં દિગ્ગજ નેતાએ કરી બંધબારણે બેઠક, જોડાશે આપ માં !
આમ આદમી પાર્ટીના નેતાઓ રાજકોટની મુલાકાતે છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે મૂલાકાત કરી છે નિખિલ સવાણી પ્રવીણ નરેશ પટેલ સાથે મૂલાકાત કરી છે. વધુ એક વખત આમ આદમી પાર્ટીના નેતાઓ પાટીદાર અગ્રણી નરેશ પટેલની મુલાકાત કરવી છે. આજરોજ આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ અને નિખિલ અડવાણી દ્વારા પાટીદાર અગ્રણી એવા નરેશ પટેલ ની ઓફિસ ખાતે મુલાકાત કરી હતી.
અંદાજિત એક કલાક જેટલો સમય નિખિલ સવાણી અને પ્રવિણ રામ નરેશ પટેલ ની વચ્ચે ચર્ચા ચાલી હતી. નરેશ પટેલ સાથે તેમના સમકક્ષ લોકોને આમ આદમી પાર્ટી હંમેશા આવકારશે.
બેઠક પૂર્ણ થયા બાદ પ્રવીણ રામે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકીય નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવવામાં આવ્યું હતું. તો સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ક્યારેય તુટતી નથી.
તો સાથે જ આમ આદમી પાર્ટીમાં નરેશ પટેલ અથવા નરેશ પટેલ ની સમકક્ષ હોય તેવી વ્યક્તિ જોડાતી હોય તો નરેશ પટેલને આવકાર્ય છીએ. તેવું નિવેદન પ્રવિણ રામ એ આપ્યું હતું જ્યારે નિખીલ સવાણીએ બેઠકને રાજકિય બેઠક ન ગણી શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું હતું.
નરેશ પટેલ રાજકારણમાં જવાના સંકેત આપ્યા હતા. અગાઉ ઘણી વખત મીડિયા સમક્ષ પણ પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં જવા અંગે નિવેદન આપી ચૂક્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાખવાનું હોય છે.
સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી અને મુખ્યમંત્રી હોય છે. મુદ્દા આધારિત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!